ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી
અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દ કંઈ જાત ઈન્સાની નથી
બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી
પેટ ફૂટે તોય ના ભાગી છૂટે
એટલો આ જીવ અજ્ઞાની નથી
સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી
– ભરત વિંઝુડા